હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'મોબાઈલ એજ્યુકેશન વાન'નું લોકાર્પણ* * રિપોર્ટર એમડી પરમાર
*હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'મોબાઈલ એજ્યુકેશન વાન'નું લોકાર્પણ*
**
*અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટશે*
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મોત્સવ નિમિત્તે એક સેવાકીય પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. "હર ઘર શિક્ષા જ્યોત ઝલે" અભિયાન હેઠળ સાબરકાંઠા જિલ્લાના બાળકો માટે 'મોબાઈલ એજ્યુકેશન વાન' અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રી પી.સી. બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના અને ખેડબ્રહ્મા જેવા તાલુકાઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી આશાનું કિરણ બની રહેશે. આ ભગીરથ પ્રયાસ દ્વારા સાબરકાંઠાના ગામડે-ગામડે જઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર, ચારિત્ર્ય નિર્માણ અને વ્યસનમુક્તિની પ્રેરણા આપવામાં આવશે.
Comments
Post a Comment