વિકાસના પથ પર અગ્રેસર સાબરકાંઠા–અરવલ્લી લોકસભા
સાબરકાંઠા–અરવલ્લી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા શામળાજી–ચિલોડા NH-48 સંબંધિત અનેક અગત્યના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવામાં આવ્યા હતા. આ રજૂઆતોના સકારાત્મક પરિણામે NH-48ના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ અંદાજિત રૂ. 57.82 કરોડની મંજુરી પ્રાપ્ત થઈ છે.
લોકસભામાં કરાયેલા પ્રયાસો હવે વિકાસ રૂપે ફળ આપવા લાગ્યા છે.
✅ મંજુર થયેલ મુખ્ય કામો
1) સાબરકાંઠા–અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા NH-48 પર સર્વિસ રોડનું RCC કામ
ગાભોઇ, પ્રાંતિજ અને મજ્રા વિસ્તારોમાં સર્વિસ રોડ RCC બનાવવા માટે
➡️ રૂ. 31,25,40,080
2) પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ
➡️ રૂ. 17,66,78,521
3) NH-48 પર વિવિધ સ્થળોએ ઓવરબ્રિજના સમારકામ
અરવલ્લી જિલ્લાના શામળપુર, સુનોખ અને સાબરકાંઠા જિલ્લાના ગાભોઇ, કરણપુર, આગિયોલ, પોગલું, તાજપુરકુઈ અને મજરા ખાતેના ઓવરબ્રિજ સમારકામ માટે
➡️ રૂ. 8,90,47,981
આ મહત્ત્વપૂર્ણ કાર્યોની મંજૂરી આપવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ આભાર.
આ વિકાસ કાર્યો સાબરકાંઠા–અરવલ્લી લોકસભાને વધુ પ્રગતિશીલ અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ સિવાય ગાંધીનગર જિલ્લાના વિવિધ બ્રિજ માટે પણ અંદાજીત રૂ. ૧૩.૬૨ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
Comments
Post a Comment