હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં "જીલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો***રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં "જીલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો*
**
        સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો હતો. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરીકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
        આ કાર્યક્રમમાં દબાણ દુર કરવા બાબત, જમીન સર્વેક્ષણ બાબત,રોડ રસ્તા, જમીન સંપાદન, લોટ ફાળવણી,પ્લોટ ફાળવણી, જન્મ મરણના દાખલો સહિત વિવિધ વિષયો પર અરજદારો દ્વારા ૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
        આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
        આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Comments