1942 ની હિંદ છોડો ચરવર અને કરો યા મરો આંદોલન વખતે રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

૧૯૪૨ ની હિન્દ છોડો ચળવળ અને કરો યા મરો આંદોલન વખતે તા. ૯/૮/૧૯૪૨ ના રોજ ગુજરાત કોલેજ ખાતે હાથમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની સાથે સરઘસ ની આગેવાની લઈને સૌથી આગળ ચાલતા વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા અંગ્રેજ પોલીસની ગોળીઓ થી વિધાઈને પ્રથમ શહીદ થયા હતા.
ત્યાર બાદ ખાડિયા જુની ગેટ વિસ્તારમાં દરિયાપુર ના નવયુવાન ઉમાકાન્ત કડિયા શહીદ થયો હતો.
આમ ૯ ઓગસ્ટ નો દિવસ શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. ખાડિયા ખાતે આજરોજ શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ભૂષણ ભટ્ટ, મ્યુનિસિપલ કોર્પોરેટરો પંકજ ભટ્ટ, નિકી મોદી, ઉમંગ નાયક અને ગીતાબેન પરમાર તેમજ મયુર દવે સહિત અન્ય લોકો સામેલ થયા હતા.

Comments