લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હથિયારોના પરવાનેદારોએ પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો દિન-7 માં અનામત જમા કરાવી દેવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ .
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હથિયારોના પરવાનેદારોએ પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો દિન-7 માં અનામત જમા કરાવી દેવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ .
આ આદેશ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી ઈસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક હથિયાર પરવાનેદારો કે જેઓએ બીજા કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિશ તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ સાબરકાંઠા વિસ્તારની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને લાગુ પડશે તેમજ હથિયાર ખરીદ-વેચાણ કરતાં પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુધી પરવાના ધારકોને કરી શકશે નહિ તેમજ સબંધિત પોલીસ સ્ટેશને જે તે પરવાનેદારશ્રીને તેમનું અનામત જમા લીધેલ હથિયાર તા.૬/૬/૨૦૨૪ પછી પરત કરવાનું રહેશે અને તેના માટે કોઈપણ અલગ હુકમની જરૂરીયાત રહેશે નહી.
આ આદેશમાંથી નીચે જણાવ્યા મુજબના હથિયાર પરવાનેદારશ્રીઓને મુકિત આપવામાં આવે છે.
(ક) સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવે છે.
ખ) માન્યતા ધરાવતી સીકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી/ચેકની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સીકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. આવા સીકયુરીટી ગાર્ડ તેઓના ફોટોગ્રાફ સાથેનું તેઓ જે તે બેંકમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર પોતાની પાસે રાખવાનું રહેશે..
(ગ) કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર સાથે રાખવાની મંજુરી આપેલ છે અને ચૂંટણીના ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી
(ઘ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠાએ ખાસ પરવાનગી આપેલ હોય તેમને લાગુ પડશે નહી.
હથિયાર પરવાનેદારોએ ઉકત વિગતે તેમના પરવાનાવાળા હથિયારો જે તે લગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. તે હથિયારના કાર્ટીજ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.


Comments
Post a Comment