સામાજિક એકતા જાગૃતિ મીશન દ્વારા જીલ્લા સમિતિની બેઠક સર્કિટ હાઉસ મહેસાણા ખાતે મળી

 

સામાજિક એકતા જાગૃતિ મીશન દ્વારા જીલ્લા સમિતિની બેઠક સર્કિટ હાઉસ મહેસાણા ખાતે મળી .



સામાજિક એકતા જાગૃતિ મીશન મહેસાણા જીલ્લા સમિતિ દ્વારા સમિતિની બેઠક તા 17/3/2024 ને રવિવારના રોજ સવારે 10 30 કલાકે સર્કિટ હાઉસ એરપોર્ટ રોડ મહેસાણા ખાતે યોજાઈ

આ કાર્યક્રમમાં  સામાજિક એકતા જાગૃતિ મીશન ના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિહ રાઠોડ સાહેબ દ્વારા મહેસાણા જિલ્લામાં સંગઠન વધુ ને વધુ મજબૂત બને સમાજમાં અત્યાચાર બળાત્કાર મારઝુડ ધોડી પરથી ઉતારવા અપમાનિત કરવામાં એકટોસિટી જેવા માં સમાધાન ન કરવું જેવી બાબતો વિષયક ચર્ચા ઓ કરી હતી મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સંગઠનમાં ઓછા માં ઓછા 100 થી વધુ નું સંગઠન બનાવી હોદેદારો ની નિમણૂક કરવાની પણ રજૂઆત કરી હતી 



આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિહ રાઠોડ સાહેબ શ્રી ગૌતમભાઈ કે પરમાર સુદાસણા, શ્રી મગનલાલ ડાભી ગાંધીનગર, શ્રી ગૌરાંગભાઈ પી રાઠોડ મહેસાણા, શ્રી ચિરાગભાઈ બી પરમાર હાડવી, શ્રી રાકેશભાઈ જી ચૌહાણ વિસનગર, શ્રી વિષ્ણુભાઈ એચ સેનમા મલેકપુર, શ્રી નટુભાઇ એમ પરમાર મહેસાણા, શ્રી હરેશભાઈ ડી ચૌહાણ વિસનગર શ્રી અનિલભાઈ જી ચૌહાણ વિસનગર શ્રી લવકિત પુનમભાઈ ચૌહાણ વિસનગર તેમજ પધારેલા તમામ કાર્યકરોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા


આ કાર્યક્રમમાં માં સંકલ્પ ભુમિ બુધ્ધ વિહાર નંદાસણ તા કડી ના સંચાલક સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ સદસ્ય શ્રી મગનલાલ ડાભી સાહેબ દ્વારા શ્રી કેવલસિહ રાઠોડ સાહેબ રાષ્ટ્રીય સંયોજક સામાજિક એકતા જાગૃતિ મીશન નું ડો બાબાસાહેબ આંબેડકર નું કેલેન્ડર ભીમ ખેશ ફુલહાર તેમજ ધમ્મ ગાથા નામનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત માં અને પૂર્ણાહુતિ સમયે ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી




Comments